વિક્રમાદિત્ય
પ્રથમ સદી બીસીઇ ઉજ્જૈન સમ્રાટ, ભારત / From Wikipedia, the free encyclopedia
વિક્રમાદિત્ય (સંસ્કૃત: विक्रमादित्यः) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન ભારતના ઉજ્જૈનનો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.
વિક્રમાદિત્ય | |
---|---|
ઉજ્જૈનમાં સ્થિતિ રાજા વિક્રમાદિત્યની મૂર્તિ | |
માહિતી | |
વ્યવસાય | રાજા |
રાજા વિક્રમાદિત્ય નામ એક સંસ્કૃત તત્પુરુષ છે, જે विक्रम એટલે કે 'શૂરવીર/બહાદુર' અને आदित्य એટલે કે 'અદિતીનો પુત્ર'ની સંધિથી બન્યું છે. અદિતીના પુત્રો અથવા આદિત્યોમાં સૌથી પ્રસિદ્ધ એ સૂર્ય એટલે કે સૂર્ય ભગવાન હતા; એટલે વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. તે 'વિક્રમ' અને 'વિક્રમાર્ક' તરિકે પણ ઓળખાતો (સંસ્કૃતમાં આર્ક એટલે સૂર્ય).
વિક્રમાદિત્ય ઈ.સ. પૂર્વેની પહેલી સદીમાં થઈ ગયો. કથા-સરિતા-સાગરનાં વૃત્તાંત અનુસાર, તે ઉજ્જૈનના પરમાર વંશના રાજા મહેન્દ્રાદિત્યનો પુત્ર હતો. અલબત્ત, આ બાબત લગભગ ૧૨ સદીઓ પછી લખવામાં આવી છે. વધુમાં, અન્ય સ્રોતો અનુસાર વિક્રમાદિત્ય એ દિલ્હીના તુર વંશનો પૂર્વજ હોવાનું પણ નોંધાયું છે.[1][2][3][4][5]
હિંદુ બાળકોમાં વિક્રમ નામ રાખવાનું બહુધા જોવા મળતું ચલણ વિક્રમાદિત્યની અને તેના જીવન વિશેની બે લોકકથાઓની લોકપ્રિયતાને આભારી છે તેમ કહી શકાય.