વર્ણકોષાશય
From Wikipedia, the free encyclopedia
વર્ણકોષાશયો એ રંજકદ્રવ્ય ધરાવતી અને પ્રકાશનું પરાવર્તન કરી શકે તેવી કોશિકાઓ છે. આવી કોશિકાઓ ઉભયજીવી, માછલી, સરિસૃપ, કવચધારી પ્રાણી અને શિર્ષપાદ પ્રાણીઓમાં જોવા મળે છે. શિતરુધિરવાળા પ્રાણીઓમાં ત્વચા અને આંખમાં રંગ પેદા કરવા માટે તેઓ જવાબદાર છે અને તેઓ સામાન્ય રીતે ગર્ભ વિકાસ દરમિયાન ચેતાશિખામાં પેદા થાય છે. પરિપકવ વર્ણકોષાશયોનું શ્વેત પ્રકાશ હેઠળ તેમના રંગ (વધુ ચોક્કસ રીતે કહીએ તો "રંગછટા")ને આધારે પેટાવર્ગીકરણ કરાયેલું છે જેમાં ઝેન્થોફોર્સ (પીળો), ઇરિથ્રોફોર્સ (લાલ), ઇરિડોફોર્સ (પરાવર્તનશીલ / બહુરંગી), લ્યુકોફોર્સ (શ્વેત), મેલનોફોર્સ (કાળું/છીંકણી) અને સાયનોફોર્સ (વાદળી)નો સમાવેશ થાય છે. આ શબ્દ પ્રકાશસંશ્લેષણ બેક્ટેરિયાના કેટલાક સ્વરૂપમાં જોવા મળતા વેસિકલ્સ સાથે સંકળાયેલા રંગીન પટલનો પણ ઉલ્લેખ કરે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કેટલીક જાતો એવી વ્યવસ્થા દ્વારા ઝડપથી રંગ બદલી શકે છે જે વર્ણકોષાશયોની અંદર રંજકદ્રવ્યનું સ્થાળાંતર અને પરાવર્તનશીલ પટ્ટિકાઓનું ફેરદિશામાન કરે છે. ઘણીવાર માયાવરણના પ્રકાર તરીકે વપરાતી આ પ્રક્રિયાને દેહધાર્મિક રંગ પરિવર્તન કહેવાય છે. રંગ પરિવર્તન કરવા ઓક્ટોપસ જેવા શિર્ષપાદ પ્રાણીઓ સ્નાયુઓ દ્વારા અંકુશિત જટીલ વર્ણકોષાશય અંગો ધરાવે છે જ્યારે કાચંડો જેવા પૃષ્ઠવંશી સેલ સિગ્નલિંગ દ્વારા રંગ પરિવર્તન કરે છે. આવા સિગ્નલો અંતઃસ્ત્રાવો અથવા ચેતાપ્રેષકો હોઇ શકે છે અને ભાવ, તાપમાન, દબાણ અથવા સ્થાનિક પર્યાવરણમાં દેખીતા પરિવર્તનને પગલે તે પરિવર્તન પ્રેરે છે.
શિતરુધિરવાળા પ્રાણીઓથી વિપરિત, સસ્તન અને પક્ષીઓ કોશિકાના પ્રકારની જેમ, વર્ણકોષાશયનો માત્ર એક જ વર્ગ મેલનોસાઇટ ધરાવે છે. માનવ રોગ સમજવા શિતરુધિરવાળા પ્રાણીને સમકક્ષ મેલનોફોર્સનો વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ થયો છે અને તેનો દવા સંશોધનમાં એક સાધન તરીકે ઉપયોગ થાય છે.