ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો
ગુજરાતમાં ૨૦૨૦માં ફાટી નીકળેલો કોરોનાવાયરસનો રોગચાળો / From Wikipedia, the free encyclopedia
ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો એ ૨૦૨૦માં ફાટી નીકળેલો રોગચાળો છે. આ કોવિડ-૧૯ રોગ નવા પ્રકારના કોરોનાવાયરસ (સાર્સ કોરોનાવાયરસ ૨) નામના વિષાણુને કારણે ફેલાય છે. ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં.[2]
Quick Facts ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો, રોગ ...
ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો | |
---|---|
નોંધાયેલા કિસ્સાની જિલ્લાવાર સ્થિતિનો નકશો
૧૦૦૦થી વધુ ૫૦૦થી ૯૯૯ વચ્ચે ૧૦૦થી ૪૯૯ વચ્ચે ૫૦થી ૯૯ વચ્ચે ૧૦થી ૪૯ વચ્ચે ૧થી ૯ વચ્ચે | |
રોગ | કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ |
વાયરસ પ્રકાર | સાર્સ કોરોનાવાયરસ ૨ |
સ્થાન | ગુજરાત, ભારત |
રોગનું ઉદ્ગમ | ચીન |
પ્રથમ કિસ્સો | રાજકોટ |
આગમન તારીખ | ૧૯ માર્ચ ૨૦૨૦ |
નોંધાયેલા કિસ્સા | ૩૮,૪૧૯ (૮ જુલાઇ ૨૦૨૦)[1] |
સક્રિય કિસ્સા | ૯૧૧૧[1] |
સાજાં થયેલાં | ૨૭,૩૧૩ (૮ જુલાઇ ૨૦૨૦)[1] |
મૃત્યુ | ૧,૯૯૫ (૮ જુલાઇ ૨૦૨૦)[1] |
વિસ્તારો | તમામ ૩૩ જિલ્લા |
અધિકૃત વેબસાઇટ | |
gujcovid19 |
બંધ કરો
રાજ્યમાં કુલ ૩૮,૪૧૯ (૮ જુલાઇ ૨૦૨૦) લોકોને કોવિડ-૧૯ રોગ થયો છે. આ પૈકી ૨૭,૩૧૩ દર્દી સાજા થયા છે, ૯૧૧૧ દર્દી સારવાર હેઠળ છે અને ૧,૯૯૫ દર્દી મૃત્યુ પામ્યા છે.[1]