ખ્મેર સામ્રાજ્ય
From Wikipedia, the free encyclopedia
ખ્મેર સામ્રાજ્ય (ખ્મેર: ចក្រភពភព), દક્ષિણપૂર્વ એશિયામાં એક બૌદ્ધ સામ્રાજ્ય હતું.[3] આ સામ્રાજ્ય ફુનાન અને ચેન્લાના ભૂતપૂર્વ સામ્રાજ્યોમાંથી ઉભરી આવ્યું હતું, આ સત્તાએ પોતાના શ્રેષ્ઠ સમયે દક્ષિણપૂર્વ એશિયાના મોટાભાગના ભુમિ પ્રદેશ અને ચીનના દક્ષિણ ભાગ પર શાસન કર્યું હતું જે છેક ચીનના ઉત્તરિય યુનાન પ્રાંત સુધી વિસ્તરતું હતું.[4] પશ્ચિમ તરફ આ સામ્રાજ્ય મ્યાનમાર સુધી વિસ્તરેલું હતું.[5]
ખ્મેર સામ્રાજ્ય | ||||||||||||||
ចក្រភពខ្មែរ Chakrphup Khmer ख्मेर साम्राज्य Kambujadesa | ||||||||||||||
સામ્રાજ્ય | ||||||||||||||
| ||||||||||||||
રાજધ્વજ | ||||||||||||||
દક્ષિણ-પુર્વ એશિયાનું ૯મી શતાબ્દીનું માનચિત્ર, ખ્મેર સામ્રાજ્ય લાલ રંગમાં. | ||||||||||||||
રાજધાની | મહેન્દ્રપર્વત હરિહરાલય કોહ કેર યશોધરાપુર (અંગકોર) | |||||||||||||
ભાષાઓ | સંસ્કૃત જુની ખ્મેર | |||||||||||||
ધર્મ | હિંદુ બૌદ્ધ | |||||||||||||
સત્તા | પુર્ણ રાજાશાહી | |||||||||||||
મહારાજા | ||||||||||||||
• | ૮૦૨-૮૫૦ | જયવર્મન દ્વિતીય | ||||||||||||
• | ૧૧૧૩-૧૧૫૦ | સૂર્યવર્મન દ્વિતીય | ||||||||||||
• | ૧૧૮૧-૧૨૧૮ | જયવર્મન સપ્તમ્ગ | ||||||||||||
• | ૧૩૯૩-૧૪૬૩ | પોંહિયા યાત | ||||||||||||
ઐતિહાસિક યુગ | મધ્યયુગ | |||||||||||||
• | જયવર્મન દ્વિતિયનો રાજ્યાભિષેક | ૮૦૨ | ||||||||||||
• | સિયામી આક્રમણ | ૧૪૩૧ | ||||||||||||
વિસ્તાર | ||||||||||||||
• | ૧૨૯૦ [1][2] | 1,000,000 km2 (390,000 sq mi) | ||||||||||||
વસ્તી | ||||||||||||||
• | ૧૧૫૦ est. | ૨૦,૦૦,૦૦૦ | ||||||||||||
| ||||||||||||||
ખ્મેર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ વારસો અંગકોર છે, જે હાલના કમ્બોડિયામાં આવેલ છે, આ શહેર સામ્રાજ્યનું એક સમયનું રાજધાનીનું સ્થળ હતું. અંગકોર વાટ અને બેયોન જેવા અંગકોરના ભવ્ય સ્મારકો ખ્મેર સામ્રાજ્યની શક્તિ અને સંપત્તિ, પ્રભાવશાળી કલા અને સંસ્કૃતિ, સ્થાપત્ય કલા, સૌંદર્ય શાસ્ત્ર સિદ્ધિઓ અને સમયની સાથે રક્ષણ આપતી વિવિધ તકનીકોની સાક્ષી આપે છે. સેટેલાઇટ ઇમેજિંગ દ્વારા જાણવા મળ્યું છે કે ૧૧મી થી ૧૩મી શતાબ્દીઓ દરમિયાન પોતાના શિખર સમયે અંગકોર, પૂર્વ-ઔદ્યોગિકયુગનું વિશ્વનું સૌથી મોટું શહેર હતું.[6]
ખ્મેર સામ્રાજ્યના યુગની શરૂઆત સતાવાર રીતે વર્ષ ઇ.સ.૮૦૨માં થઇ હતી, જ્યારે રાજા જયવર્મન દ્વિતીયે પોતાને ફ્નોમ કુલેનનો ચક્રવર્તી (રાજાઓનો રાજા) જાહેર કર્યો હતો. ૧૫મી સદીમાં આંગકોરના પતન સાથે ખ્મેર સામ્રાજ્ય પણ સમાપ્ત થયું.