ભારતીય ધ્વજ સંહિતા
ભારતના ધ્વજને ફરકાવવા માટે આપવામાં આવેલ નિર્દેશ / From Wikipedia, the free encyclopedia
ભારતીય ધ્વજ સંહિતા, કે ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા, એ કાયદાઓ, પ્રથાઓ અને સંમેલનોનો સમૂહ છે જે ભારતના રાષ્ટ્રધ્વજના પ્રદર્શન પર લાગુ થાય છે. ભારતીય ધ્વજ સંહિતાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. સંહિતાના પ્રથમ ભાગમાં રાષ્ટ્રધ્વજનું સામાન્ય વર્ણન છે; સંહિતાનો ભાગ બીજો જાહેર, ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને સમર્પિત છે જ્યારે કોડનો ત્રીજો ભાગ સંઘ અને રાજ્ય સરકારો અને તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શન સાથે સંબંધિત છે. ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા ૨૦૦૨ (ભારતીય ધ્વજ સંહિતા)ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૨થી અમલ કરવામાં આવી અને "ફ્લૅગ કોડ-ઈન્ડિયા" પહેલા અસ્તિત્વમાં હતો તેનું સ્થાન તેણે લીધું.