હિંદુ ધર્મના ઉત્સવો
From Wikipedia, the free encyclopedia
તહેવાર કે ઉત્સવ એ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તહેવાર એ હિન્દી ભાષાના तेहवार કે त्योहार શબ્દનું ગુજરાતી છે. ફારસી ભાષામાં ’તિહ=ખાલી’ અને ’વાર=નામદર્શી પ્રત્યય’ મળીને ’તેહેવાર’ શબ્દ આવે છે જેનો અર્થ ’મુસલમાની દીનમાં ફરમાવેલો પાક દિવસ’ એવો થાય છે. ગુજરાતીમાં ’તહેવાર’નો અર્થ અણૂજો, અકતો. ઉત્સવ, ખુશાલીનો દિવસ, વારપરબ એવો થાય છે.[1] મહદાંશે બહુમાન્ય જાહેર ઉત્સવને તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.
હિંદુ ધર્મમાં લગભગ બધાં જ તહેવારો પંચાંગ પ્રમાણે, તિથી અનુસાર ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ જેવા કોઈક તહેવાર સૂર્ય આધારીત ગ્રેગોરીયન પંચાંગની તારીખ આધારીત હોઈ શકે છે.