સૌંદર્ય શાસ્ત્ર
From Wikipedia, the free encyclopedia
સૌંદર્ય શાસ્ત્ર (જેની જોડણી અંગ્રેજીમાં આ રીતે પણ થાય છે æsthetics અથવા esthetics ) તે સૌંદર્ય, કલા અને રુચિ તેમજ સૌંદર્યના સર્જન તથા કદર કરતી દર્શનશાસ્ત્રની જ એક શાખા છે.[1] વૈજ્ઞાનિક રીતે તેને સંવેદના અથવા અનુભૂતિજન્ય ભાવનાત્મક મૂલ્યોના અભ્યાસ તરીકે વધુ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને કયારેક લાગણી અને રુચિના નિર્ણયો તરીકે ગણવામાં આવે છે.[2] વધુ વિસ્તૃત રીતે કહીએ તો, આ ક્ષેત્રના પંડિતો સૌંદર્ય શાસ્ત્રની વ્યાખ્યા "કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પર ટીકાત્મક પ્રતિભાવ" તેવી આપે છે.[3][4] સૌંદર્ય શાસ્ત્ર તત્ત્વજ્ઞાનની એક શાખા ગણાતા એક્સીઓલોજીની એક પેટા-વિદ્યાશાખા છે અને તે કલાના તત્ત્વજ્ઞાન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે.[5] સૌંદર્ય શાસ્ત્રથી સૃષ્ટિના દર્શન અને તેના જ્ઞાનબોધની નવી નવી પધ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવે છે.[6]