શાસ્ત્રીય સંગીત
From Wikipedia, the free encyclopedia
ભારતીય શાસ્ત્રીય સંગીત એ ભારતીય સંગીતનું મુખ્ય અંગ છે. આ સંગીતને અન્ય દેશોમાં 'કલાસિકલ મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય ગાયન શબ્દ પ્રધાન નહીં પણ ધ્વનિ પ્રધાન હોય છે. ધ્વનિનું જ તેમાં સવિશેષ મહત્વ હોય છે. અન્ય સંગીતમાં ગાયન અને તેના શબ્દો કોઇ ચોક્કસ વિષયની અભિવ્યક્તિ કરતાં હોય છે અને શ્રોતાઓને એ વિષયના ઊંડાણમાં ખેંચી જઇને તલ્લીન બનાવે છે, જ્યારે શાસ્ત્રીય સંગીતમાં શબ્દોના અર્થ અને તે દ્વારા અભિવ્યક્ત થતા વિષયના બદલે સ્વરના આરોહ-અવરોહને જ વધુ મહત્ત્વ આપવામાં આવે છે. અન્ય સંગીત દ્વારા શ્રોતાઓ શબ્દો દ્વારા જે તે વિષય સાથે તદ્રુપ થઈને મજા માણી શકે છે જ્યારે આમેં તેવું ન હોવાથી સ્વાભાવિક રીતે જ શાસ્ત્રીય સંગીત કેટલાક લોકોને કંટાળાજનક લાગે છે. તે ખામી આ સંગીતની નથી પણ તેને સમજી ન શકવાના કારણે છે. અન્ય સંગીતની તુલનાએ શાસ્ત્રીય સંગીતને ઊચ્ચ પ્રકારનું માનવામાં આવે છે.