રુદ્રનાથ
ભારતનું ગામ / From Wikipedia, the free encyclopedia
રુદ્રનાથ (સંસ્કૃત: रुद्रनाथ, અંગ્રેજી: Rudranath)) ભગવાન શિવ ને સમર્પિત, ગઢવાલ હિમાલયના પર્વતોમાં ઉત્તરાખંડ, ભારત ખાતે આવેલ એક હિંદુ મંદિર છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 3,600 metres (11,800 ft) જેટલી ઊંચાઈ પર,[1] ર્હોન્ડ્રોન અને આલ્પાઇન ગોચર વડે બનેલા એક ગાઢ જંગલ ખાતે કુદરતી પથ્થરોમાં આવેલું છે. ગઢવાલ પ્રદેશમાં પંચકેદાર યાત્રા દરમિયાન આ મંદિરની મુલાકાત ત્રીજા ક્રમે કરવાની હોય છે. આ યાત્રામાં સમાવિષ્ઠ અન્ય મંદિરો: કેદારનાથ અને તુંગનાથની મુલાકાત પહેલાં લેવામાં આવે છે અને રુદ્રનાથની મુલાકાત પછી અને મદમહેશ્વર અને કલ્પેશ્વરની મુલાકાત લેવામાં આવે છે. આ મંદિર ખાતે ભગવાન શિવના મુખ (ચહેરો)ની "નિલકંઠ મહાદેવ" તરીકે પૂજા કરવામાં આવે છે. આ મંદિરે પદયાત્રા કરી જવું પડે છે, જેની શરૂઆત સાગર ગામ ખાતેથી શરૂ થાય છે, જે ગોપેશ્વર થી આશરે ૦૩ કિ. મી.ના અંતરે આવેલ છે. અન્ય કેડી આરોહણ માર્ગ (ટ્રેક) મંડલ ગામથી શરૂ થાય છે, જે ગોપેશ્વરથી ૧૨ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ માર્ગ અનસૂયા દેવીના મંદિર મારફતે જાય છે. આ માર્ગ અત્યંત મુશ્કેલીભર્યો અને આશરે ૨૪ કિ.મી. જેટલો લાંબો છે.
રુદ્રનાથ | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
સ્થાન | રુદ્રનાથ (ગામ), ગઢવાલ, ઉત્તરાખંડ |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30°32′0″N 79°20′0″E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | પાંડવો, દંતકથા મુજબ |
પૂર્ણ તારીખ | અપ્રાપ્ય |