રામ રાઘોબા રાણે
ભારતીય સેના અધિકારી / From Wikipedia, the free encyclopedia
મેજર રામ રાઘોબા રાણેનો જન્મ ૨૬ જૂન ૧૯૧૮ના રોજ ચેંદીઆ, કરવર જિલ્લો, કર્ણાટક ખાતે થયો હતો. તેમનું મૃત્યુ ૧૧ જુલાઈ ૧૯૯૪ના રોજ પૂણે ખાતે ભારતીય ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ ઈસ્પિતાલમાં થયું હતું. તેઓ કરવરના કોંકણ ક્ષત્રિય મરાઠા પરિવારમાંથી આવતા હતા. કરવરમાં તેમની મૂર્તિ ઉભી કરવામાં આવી છે. તેમને કોર્પસ ઑફ ઈન્જિનિયરની બૉમ્બે સેપર્સમાં ૧૫ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ૧૯૬૮માં સૈન્યમાંથી મેજર તરીકે નિવૃત્ત થયા. તેમના ૨૧ વર્ષના કાર્યકાળમાં પાંચ વખતે તેમનો ઉલ્લેખ ડિસ્પેચમાં કરાયો હતો. તેમણે ૧૯૪૭-૧૯૪૮માં જમ્મુ અને કાશ્મીરની કાર્યવાહીમાં ઉત્તમ કામગીરી બજાવી હતી. તેમણે પાકિસ્તાન સામેના યુદ્ધમાં બતાવેલી બહાદુરી અને વીરતા માટે પરમવીર ચક્ર વડે સન્માનિત કરાયા હતા.
Quick Facts મેજરરામ રાઘોબા રાણે PVC, જન્મ ...
મેજર રામ રાઘોબા રાણે PVC | |
---|---|
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે રામ રાઘોબા રાણેની અર્ધપ્રતિમા | |
જન્મ | (1918-06-26)26 June 1918 ચેંડિયા, કારવાર, મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન કર્ણાટક, ભારત) |
મૃત્યુ | 11 July 1994(1994-07-11) (ઉંમર 76) પુણે, મહારાષ્ટ્ર |
દેશ/જોડાણ | ઢાંચો:Country data British India (૧૯૪૦–૧૯૪૭) India (૧૯૪૭–૧૯૬૮) |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૪૦–૧૯૬૮ |
હોદ્દો | મેજર |
સેવા ક્રમાંક | IC-7244[1] |
દળ | બેમ્બે સેપર્સ |
યુદ્ધો | દ્વિતીય વિશ્વ યુદ્ધ ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ |
પુરસ્કારો | પરમવીર ચક્ર |
બંધ કરો