યોસેમિટી વિસ્તારનો ઇતિહાસ
From Wikipedia, the free encyclopedia
લગભગ 3,000 વર્ષથી સીએરા મિવોક, મોનો, પૈયુટ અને અન્ય મૂળ અમેરિકન જૂથો કેલિફોર્નિયાના મધ્ય સીએરા નેવેડા પ્રદેશમાં વસ્યા છે. જ્યારે યુરોપિયન અમેરિકનોએ પ્રથમ વખત આ વિસ્તારની મુલાકાત લીધી, જે પછીથી યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો, ત્યારે આહવાહનેચી તરીકે ઓળખાતા મિવોક ભાષી મૂળ અમેરિકનો યોસેમિટી ખીણ પ્રદેશમાં રહેતા હતા. 19મી સદીના મધ્યમાં કેલિફોર્નિયાની સોના માટેની દોડ (સોનાના ઉત્ખનનમાં તેજી)એ આ પ્રદેશમાં પરદેશી લોકોના જૂથમાં ઘણો જ વધારો કર્યો. મૂળ અમેરિકનો અને ગોરા વસાહતીઓ વચ્ચેનો તણાવ વધીને મેરીપોસા યુદ્ધમાં પરિણમ્યો. આ સંઘર્ષના ભાગરૂપે, વસાહતી જેમ્સ સેવેજ ચીફ તેનેયાની નેતાગીરી હેઠળના આહવાહનેચીઓનો પીછો કરતાં મેરીપોસા બટાલિયનને 1851માં યોસેમિટી ખીણપ્રદેશમાં દોરી ગયો. બટાલિયનના કારનામા, ખાસ કરીને ડો. લાફાયેત બન્નેલની બટાલિયન, યોસેમિટી ખીણપ્રદેશમાં આશ્ચર્યજનક કથાઓ તરીકે લોકપ્રિય થયા હતા.
1864માં, યોસેમિટી ખીણપ્રદેશ અને જાયન્ટ સેક્વોઇયા વૃક્ષોના બનેલા મેરીપોસા ગ્રૂવને સંઘીય માલિકીમાંથી રાજ્યની માલિકીમાં તબદિલ કરવામાં આવ્યા. યોસેમિટીના સ્થાપક ગેલેન ક્લાર્ક ઉદ્યાનના પ્રથમ સંરક્ષક બન્યા. યોસેમિટી ખીણપ્રદેશમાં સ્થિતિને લોકો માટે વધારે સાનુકૂળ બનાવવામાં આવી અને 19મી સદીના પાછલા વર્ષોમાં ઉદ્યાનની મુલાકાત લેવામાં સરળતામાં વધારો થયો. પ્રકૃતિવાદી જ્હોન મૂર અને અન્ય લોકો આ વિસ્તારની વધારે પડતા ઉપયોગ અંગે સચેત થયા. તેમના પ્રયાસોએ 1890માં યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં મદદ કરી. યોસેમિટી ખીણપ્રદેશ અને મેરીપોસા ગ્રૂવને 1906માં રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉમેરવામાં આવ્યા.
1891થી 1914 સુધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીની અને ત્યારબાદ થોડા સમય માટે નાગરિક સંરક્ષકની ન્યાયિક હદ લાગુ પડતી હતી. નવી રચાયેલી રાષ્ટ્રીય ઉદ્યાન સેવાએ 1916માં ઉદ્યાનનો વહીવટ સંભાળ્યો. આ સમય દરમિયાન ઉદ્યાનમાં થયેલા સુધારાઓએ મુલાકાતીઓમાં વધારો કર્યો. મૂર અને સીએરા ક્લબ જેવા સાચવણીકારો હેચ હેચી વેલીને 1923માં સરોવર બનતા બચાવવામાં નિષ્ફળ રહ્યા. 1964માં, 89 ટકા ઉદ્યાનને ઉચ્ચ સંરક્ષિત જંગલી વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો અને ઉદ્યાનને અડીને આવેલા અન્ય સંરક્ષિત વિસ્તારો તેમાં ઉમેરવામાં આવ્યા. એક સમયના પ્રખ્યાત યોસેમિટી ફાયરફોલ , લાલ ગરમ કોલસાઓને રાત્રે ગ્લેસિયર પોઇન્ટ પરથી ગબડાવીને બનાવવામાં આવેલા, ને સંરક્ષણની સાથે સુયોગ્ય નહીં ગણવામાં આવેલી અન્ય પ્રવૃત્તિઓની સાથે 20મી સદીના મધ્ય ભાગમાં અન્ય બંધ કરી દેવામાં આવ્યો.