મોહન ગોસ્વામી
From Wikipedia, the free encyclopedia
લાન્સ નાયક મોહન નાથ ગોસ્વામી એ ભારતીય ભૂમિસેનાના ખાસ દળોમાં કમાન્ડો હતા અને તેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતાં શહાદત હાંસલ કરી હતી. ગોસ્વામી ૯મી પલટણ, પેરાશુટ રેજિમેન્ટમાં તૈનાત હતા. તેઓએ આખરી ૧૧ દિવસોમાં ત્રણ આતંકવાદી વિરોધિ કાર્યવાહીમાં સક્રિય ભાગ લીધો હતો જેમાં દસ આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા અને એકને જીવિત પકડવામાં આવ્યો હતો. ૩ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ખાતે ચાર આતંકવાદીઓ સાથે લડતાં લગાવાયેલી ઘાતની કાર્યવાહી દરમિયાન શહીદ થયા હતા. તેમની આ કાર્યવાહીઓ માટે તેમને ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર (પુરસ્કાર) એનાયત કરાયો હતો.[1][2][3][4]