મુઘલ સામ્રાજ્ય
From Wikipedia, the free encyclopedia
મુઘલ સામ્રાજ્ય (ફરસી: شاهان مغول; ઉર્દૂ: مغلیہ سلطنت મુઘલિયા સલ્તનત)[2][3] એક એવું ભારતીય સામ્રાજ્ય હતું જેણે ભારતીય ઉપખંડના એક વિશાળ હિસ્સા ઉપર શાસન કર્યું હતું. 1526માં સ્થપાયેલા આ સામ્રાજ્યએ 17મી સદીના અંતભાગ અને 18મી સદીના પ્રારંભ સુધીમાં મોટા ભાગના દક્ષિણ એશિયા ઉપર આક્રમણ કર્યું હતું અને શાસન કર્યું હતું, તેનો અંત 19મી સદીના મધ્યભાગમાં આવ્યો હતો.[4]
મુઘલ સામ્રાજ્ય | ||||||||||||||||||||||||||
شاهان مغول શાહાન-એ મોઘૂલ | ||||||||||||||||||||||||||
સામ્રાજ્ય | ||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||
ધ્વજ | ||||||||||||||||||||||||||
નકશો: મુઘલ સામ્રાજ્ય પોતાના રાજ્યક્ષેત્રીય ચરમ પર હતું, c. 1700 | ||||||||||||||||||||||||||
રાજધાની | આગ્રા; ફતેહપૂર સિક્રી; દિલ્હી | |||||||||||||||||||||||||
ભાષાઓ | ફારસી ભાષા (છગાતાઈ ભાષા એને ઉર્દૂ ભાષા પણ) | |||||||||||||||||||||||||
ધર્મ | સુન્ની ઇસ્લામ અને સમન્વયતા | |||||||||||||||||||||||||
સત્તા | સંપૂર્ણ રાજાશાહી, એકરૂપ રાજ્ય સંઘીય સંરચનાસાથે | |||||||||||||||||||||||||
બાદશાહ | ||||||||||||||||||||||||||
• | 1526–1530 | બાબર | ||||||||||||||||||||||||
• | 1530–1539, 1555–1556 | હુમાયું | ||||||||||||||||||||||||
• | 1556–1605 | અકબર | ||||||||||||||||||||||||
• | 1605–1627 | જહાંંગીર | ||||||||||||||||||||||||
• | 1628–1658 | શાહજહાંં | ||||||||||||||||||||||||
• | 1658–1707 | ઓરંઝેબ | ||||||||||||||||||||||||
ઐતિહાસિક યુગ | દક્ષિણ એશિયા પર ઇસ્લામી ચઢાઈ | |||||||||||||||||||||||||
• | પાણીપતનું પ્રથમ યુદ્ધ | 21 એપ્રિલ 1526 | ||||||||||||||||||||||||
• | ૧૮૫૭નો ભારતીય વિપ્લવ | 20 જૂન 1858 | ||||||||||||||||||||||||
વિસ્તાર | ||||||||||||||||||||||||||
• | 1600 | 3,200,000 km2 (1,200,000 sq mi) | ||||||||||||||||||||||||
વસ્તી | ||||||||||||||||||||||||||
• | 1600 est. | ૧૫,૦૦,૦૦,૦૦૦ | ||||||||||||||||||||||||
ગીચતા | 47/km2 (121/sq mi) | |||||||||||||||||||||||||
• | 1800 est. | ૨૦,૦૦,૦૦,૦૦૦ | ||||||||||||||||||||||||
ચલણ | રૂપિયો | |||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||
સાંપ્રત ભાગ | ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન | |||||||||||||||||||||||||
વસ્તી સ્રોત:[1] |
મુઘલ સમ્રાટો તિમુરિદના વંશજો હતા, અને 1700ની આસપાસ જ્યારે તેમની સત્તાનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે મોટાભાગનો ભારતીય ઉપખંડ તેમના અંકુશ હેઠળ હતો –જે પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં બલુચિસ્તાન સુધી અને ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કાવેરી સુધી લંબાતો હતો.[5] તે સમયે આશરે 32 લાખ ચોરસ કિલોમીટર(1.2 મિલિયન ચોરસ માઇલ)ના વિસ્તારમાં ફેલાયેલા આ સામ્રાજ્યની વસતી 11 અને 15 કરોડની વચ્ચે હતી એવો અંદાજ છે.
આ સામ્રાજ્યનો “ઉત્તમ સમયગાળો” 1556માં જલાલુદ્દીન મોહમ્મદ અકબરના રાજ્યારોહણની સાથે શરૂ થયો, જે મહાન અકબર તરીકે વધુ જાણીતો છે. 1707માં મજબૂત બનતા જતા હિંદુ મરાઠા સામ્રાજ્ય દ્વારા સમ્રાટ ઔરંગઝેબની હાર અને મોત થતાંં આ સામ્રાજ્ય પડી ભાંગ્યું હતું,[6] અલબત્ત આ રાજવંશ વધુ 150 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મુઘલ સામ્રાજ્યએ ઉચ્ચકક્ષાના કેન્દ્રિત વહીવટીતંત્રની સ્થાપના કરીને વિવિધ પ્રદેશોને જોડ્યા હતા. ઉત્કૃષ્ટ કક્ષાના સાહિત્ય, કલા અને સ્થાપત્ય સાથે મુઘલોના તમામ મહત્વપૂર્ણ સ્મારક, હાલ જોવા મળતો તેમના મોટા ભાગનો વારસો, આજે પણ ભારતીય ઉપખંડમાં પર્શિયાના સાંસ્કૃતિક પ્રભાવની છાંટના દર્શન કરાવે છે.
1725 બાદ આ સામ્રાજ્યનો ઝડપથી અસ્ત થયો, ઉત્તરાધિકારી બનવા માટે ખેલાયેલા યુદ્ધોથી આ સામ્રાજ્ય નબળું પડ્યું, જમીન-મિલકતને લગતી કટોકટીથી સ્થાનિક બળવાઓને ઉત્તેજન મળ્યું, ધાર્મિક અસહિષ્ણુતામાં વધારો થયો, મરાઠા, દુર્રાની અને શીખ સામ્રાજ્ય અને આખરે બ્રિટિશ સંસ્થાનવાદનો ઉદય થયો. છેલ્લા રાજા બહાદુર ઝફર શાહ બીજાની સત્તા માત્ર દિલ્હી શહેર પૂરતી જ મર્યાદિત હતી. 1857ના ભારતીય વિપ્લવ બાદ બ્રિટિશે તેમને કેદ કરીને દેશવટો આપ્યો હતો.
મુઘલ નામ તિમુરિદની મૂળ માતૃભૂમિ પરથી ઉતરી આવ્યું છે, મધ્ય એશિયાના મેદાનો પર એકવાર ચંગીઝ ખાને આક્રમણ કર્યું હતું અને તેથી તે મોઘલિસ્તાન મોંગલોની ભૂમિ” તરીકે ઓળખાતો હતો. પ્રારંભમાં મુઘલો ચગતાઈ ભાષા બોલતા હતા અને તૂર્ક-મોંગોલ રસમો પાળતા હતા, તેમ છતાં, તેઓ નોંધપાત્ર રીતે પર્શિયન સંસ્કૃતિના પ્રભાવ હેઠળ હતા.[7] તેઓ ભારતમાં પર્શિયાના સાહિત્ય અને સંસ્કૃતિને લાવ્યા હતા,[7] તેના દ્વારા ઇન્ડો-પર્શિયન સંસ્કૃતિનો આધાર તૈયાર થયો.[7]