માધુરી દીક્ષિત
From Wikipedia, the free encyclopedia
માધુરી દીક્ષિત (જન્મ ૧૫ મે ૧૯૬૭)[1] એક ભારતીય ફિલ્મ ની અભિનેત્રી છે. ઘણી વખત બોલીવુડ ની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે મીડિયા દ્વારા ટાંકવામાં આવી છે,[2][3] માધુરી ની સૌપ્રથમ ફિલ્મ હતી અબોધ (૧૯૮૪) અને તેઝાબ (૧૯૮૮) ફિલ્મ થી તે લોકો ની નજર મા આવી. તેનો અદ્ભુત અભિનય, સુંદરતા તથા નૃત્ય પરિપૂર્ણતા એ તેને અગ્રણી અભિનેત્રીઓની હરોળ મા મુકી દીધી.[4]
માધુરી દીક્ષિત | |
---|---|
જન્મ | ૧૫ મે ૧૯૬૭ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
જીવન સાથી | શ્રીરામ માધવ નેને |
વેબસાઇટ | http://madhuridixit-nene.com |
તેની બોક્સ ઓફિસ હિટ ફિલ્મો જેવી કે દિલ (૧૯૯૦), સાજન (૧૯૯૧), બેટા (૧૯૯૨), હમ આપકે હે કોન...! (૧૯૯૪) અને રાજા (૧૯૯૫) નો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રમાણમા ઓછા તબક્કાની તેની દિલ તો પાગલ હૈ (૧૯૯૭) અને વિવેચકોની પ્રશંસાપાત્ર ફિલ્મ જેવી કે મૃત્યુદંડ (૧૯૯૭), પુકાર (૨૦૦૦), લજ્જા (૨૦૦૧) અને દેવદાસ (૨૦૦૨), સાલ ૨૦૦૨ મા ફિલ્મોથી નિવૃત્તિ લઇ પોતાના બાળકોને આગળ લાવવા સાલ ૨૦૦૭ મા TV કાર્યક્રમ આજા નચલેમાં પાછી ફરી.
માધુરી દીક્ષિતે પાંચ ફિલ્મફેર પુરસ્કારો, ચાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે અને એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે જીત્યો છે. તેમણે ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ અભિનેત્રી નામાંકન મા સૌથી વધુ સંખ્યા ૧૩ સાથે રેકોર્ડ ધરાવે છે. ૨૦૦૮ માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી, ચોથા-સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવી હતી. તેઓ ડો શ્રીરામ માધવ નેને સાથે પરણ્યા છે, અને તેઓને બે બાળકો છે.