મહારાણા પ્રતાપ
મેવાડના ૧૬મી સદીના પરાક્રમી રાજા / From Wikipedia, the free encyclopedia
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંતબાઈના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.[1]
Quick Facts મહારાણા પ્રતાપ, મેવાડના મહારાજા ...
મહારાણા પ્રતાપ | |
---|---|
મેવાડના મહારાજા | |
શાસન કાળ | ૧૫૬૮-૧૫૯૭ |
જન્મ | મે ૯, ૧૫૪૦(જેઠ સુદ ત્રીજ) |
જન્મ સ્થળ | કુંભલગઢ, જૂની કચેરી, પાલી, રાજસ્થાન |
અવસાન | જાન્યુઆરી ૧૯, ૧૫૯૭ |
અવસાન સ્થળ | ચાવંડ |
અંત્યેષ્ટિ | ચાવંડ |
પૂર્વગામી | મહારાણા ઉદયસિંહ(બીજા) |
વંશ/ખાનદાન | સૂર્યવંશી, રાજપૂત |
પિતા | મહારાણા ઉદયસિંહ(બીજા) |
માતા | મહારાણી જયવંતાબાઇ |
સંતાન | ૩ પુત્રો અને ૨ પુત્રીઓ |
ધર્મ | હિંદુ |
બંધ કરો