ભારતીય વાનગીઓ
ભારતની રાંધણ પરંપરાઓ / From Wikipedia, the free encyclopedia
ભારતીય વાનગીઓ ની લાક્ષણિકતા વિવિધ પ્રકારના મસાલા, ઔષધો અને ભારતમાં ઉગાડવામાં આવતા શાકભાજી અને કયારેક ફળોના ખૂબ જ સુવ્યવસ્થિત અને ચતુરાઈપૂર્વક કરવામાં આવતો ઉપયોગ અને સમાજના લગભગ તમામ વર્ગોમાં વિશાળ ફલક પર પ્રચલિત શાકાહારી ભોજન પદ્ધતિ છે. ભારતીય વાનગીઓના વર્ગમાં વાનગીઓ અને તેને બનાવવાની પદ્ધતિઓમાં ઘણી જ વિવિધતા રહેલી છે. તેના પરીણામ સ્વરૂપે, તેમાં પ્રદેશ અનુસાર ભિન્નતા જોવા મળે છે, ભારતીય ઉપખંડની વંશીય રીતે વિવિધતા ધરાવતી વસતિનું પ્રતિબિંબ છે.
ભારતની ધાર્મિક માન્યતા અને સંસ્કૃતિએ તેની વાનગીઓના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.[1] જો કે, ભારતભરની વાનગીઓનો વિકાસ પ્રાચીન ગ્રીસ, પર્શિયા, મોગલ્સ અને પશ્ચિમ એશિયા સાથેના ઉપખંડના મોટાપાયા પરના સાંસ્કૃતિક આદાન-પ્રદાનને કારણે પણ થયો છે, જેનાથી ભારતીય વાનગીઓ એશિયાભરની વિવિધ વાનગીઓનું અનોખું મિશ્રણ બની રહી છે.[2][3] ભારત અને યુરોપ વચ્ચે મરિમસાલાનો વેપાર યુરોપના સંશોધન કાળ નો મુખ્ય ઉદ્વિપક રહ્યો હોવાનું ઘણીવાર કહેવાય છે.[4] કોલોનીય કાળે ભારતમાં યુરોપીયન રાંધણ શૈલિઓ રજૂ કરી હતી અને ભારતીય વાનગીઓમાં વિવિધતા લાવી હતી.[5][6] ભારતીય વાનગીઓનો દુનિયાભરની વાનગીઓ પર પ્રભાવ છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયાની વાનગીઓ પર[7][8]