ભારતનો ઇતિહાસ
ભારત નો ઈતિહાસ / From Wikipedia, the free encyclopedia
ભારતનો ઇતિહાસ સિઁધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે, લોહ યુગ, અને તેના પછી વૈદિક કાળનો ક્રમે ક્રમે વિકાસ થયો, અને અહી જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં, મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના શ્રમણ અર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો.
મહેરગઢ સંસ્કૃતિ | 7000-3300 BC |
સિંધુ ખીણની સંસ્કૃતિ | 3300-1700 BC |
કબ્રસ્તાન એચ સંસ્કૃતિ | 1700-1300 BC |
વૈદિક સંસ્કૃતિ | 1700-500 BC |
કુરૂ રાજવંશ | 1200-316 BC |
મહાજનપદ | 700-321 BC |
મૌર્ય સામ્રાજ્ય | 321-184 BC |
મધ્યયુગીન રાજ્યો | 184 BC - 1279 CE |
ગુપ્તા સામ્રાજ્ય | 240-550 |
ચોલા સામ્રાજ્ય | 848-1279 |
ઇસ્લામી સામ્રાજ્યો | 979-1596 |
દિલ્હી સલ્તનત | 1210-1526 |
વિજયનગર સામ્રાજ્ય | 1336-1565 |
મુઘલ યુગ | 1526-1757 |
કંપની રાજ | 1757-1857 |
પહેલો આઝાદી વિપ્લવ | 1857-1858 |
બ્રિટીશ રાજ | 1858-1947 |
સ્વતંત્રતા ચળવળ | 1858-1947 |
ભારતના ભાગલા | 1947-1948 |
ભારત ગણરાજ્યનો ઇતિહાસ | |
પાકિસ્તાનનો ઇતિહાસ | |
બાંગ્લાદેશનો ઇતિહાસ | |
- આ લેખ 1942માં બ્રિટીશ ભારતના ભાગલા થયાં તે પહેલાના દક્ષિણ એશિયાનો ઇતિહાસ છે. આધુનિક રિપબ્લિક ઇન્ડિયાના ઇતિહાસ માટે જુઓ રિપબ્લિક ઇંડીયાનો ઇતિહાસ. પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ જોવા માટે જુઓ પાકિસ્તાનનો ઇતિહાસ અને બાંગ્લાદેશનો ઇતિહાસ.
પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજ્ય કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન ફારસી રાજવી[1] હખામંશી ઈસવીસન પુર્વે 543માં અને [2]ઈસવીસન પુર્વે 326માં સિકંદર મહાન કર્યું. બેકટ્રીયાના ડેમેટ્રીયસે ભારતીય-યૂનાની શાસનની સ્થાપના કરી જેમાં ઈસવીસન પૂર્વે 184માં ગાંધાર અને પંજાબનો પણ સમાવેશ થાય છે. તેનું શાસન મેનાન્દરના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે યૂનાની બુદ્ધ કાળ વિકસાવ્યો જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો.
મૌર્ય સામ્રાજ્ય હસ્તક ઈસવીસનની ચોથી અને ત્રીજી સદી દરમિયાન આખો ઊપખંડ એક હતો.તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને મધ્ય કક્ષના કહી શકાય તેવા વિવિધ રજવાડાંઓમાં તે આગામી દસ સદીમાં ફેરવાતા ગયાં. તેનો ઊત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની ચૌથી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી બે સદી સુધી તે ગુપ્તા સામ્રાજ્ય હસ્તક એક રહ્યો.આ સમયગાળો હિન્દુ ધર્મ અને તેના બૌધ્ધિક ઊત્થાનનો કાળ હતો અને તેના ચાહકોમાં તે ભારતના સુવણર્કાળ તરીકે ઓળખાય છે.
આજ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ ભારત, ચાલુક્ય, ચોલા, પલ્લવ અને પંડ્યાઓના શાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણકાળનો અનુભવ કર્યો. આ કાળમાં ભારતીય સભ્યતા, વહીવટીતંત્ર સંસ્કૃતિ અને ધર્મ, હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ દક્ષિણ-પૂર્વીય એશીયામાં ફેલાવો થયો.
કેરળના ઊપખંડમાં ઈસ્લામનું આગમનચોક્કસ તારીખ કોઈ જાણતું નથી પણ કેરળનો રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાં દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો. આ ઊપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ 712માં (CE) થયો જ્યારે એક આરબ જનરલ મહંમદ બિન કાસીમે દક્ષિણ પંજાબના,[3] મુલતાન અને સિંધ પર ચઢાઈ કરી અને દસમી અને પંદરમી સદીમાં મધ્ય એશિયામાં બીજાં ઘણાં આક્રમણો માટેનાં દ્વાર ખોલી નાંખ્યાં જેના પગલે ભારતીય ઊપખંડમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો, જેમાં ગઝનવી, ઘોરી, દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યનો સમાવેશ થાય છેમુઘલોએ ઊપખંડના મોટાભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યુંમુઘલ રાજાઓએ ભારતમાં મધ્ય-પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી મુઘલો ઉપરાંત ઘણાં સ્વતંત્ર હિંદુ રજવાડાં જેવાં કે, મરાઠા સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, વિવિધ રાજપૂત રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા. મુઘલ સામ્રાજ્યનો અઢારમી સદીમાં પ્રારંભે અસ્ત થયો જેના કારણે અફઘાનો, બલોચી, અને શીખોને બ્રિટીશ ઈસ્ટ ઈન્ડયા કંપનીએ[4]દક્ષિણમાં પગદંડો જમાવ્યો ત્યાં સુધી ઊપખંડના ઊત્તરીય-પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો
18મી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પડછાયો રહ્યો.
કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષને કારણે બ્રિટીશ રાજા દ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું પછી સ્વતંત્રતા માટેના પ્રથમ યુધ્ધનો પ્રરંભ થયો. આ જ સમયગાળા દરમિયાન ભારતે બુનિયાદી સુવિધાઓ અને આર્થિક પતનનો ઝડપી વિકાસ જોવા માંડ્યો.
20મી સદીના પ્રથમ ભાગમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા ચળવળની શરૂઆત કરવામાં આવી.જેમાં પાછળથી મુસ્લિમ લીગ પણ જોડાઈ ઊપખંડને, ભાગલા બાદ, આધિપત્યમાં ભારત અને પાકિસ્તાન નામના બે દેશો તરીકે ગ્રેટ બ્રિટન પાસેથી 1947માં આઝાદી મળી.