ભારતનું સ્થાપત્ય
From Wikipedia, the free encyclopedia
ભારતના સ્થાપત્યના મૂળમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ છે. ભારતીય સ્થાપત્યએ સમય સાથે પ્રગતિ કરી વિશ્વના અન્ય ક્ષેત્રો સાથેના તેના બે હજાર વર્ષના વૈશ્વિક વાર્તાલાપના પરિણામે આવેલા ઘણા પ્રભાવોને આત્મસાત કર્યા છે. ભારતમાં પ્રચલિત સ્થાપત્ય પદ્ધતિઓ તેની સ્થાપિત બાંધકામની પરંપરાઓ અને બહારના સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓની નિરીક્ષણ અને અમલીકરણનું પરિણામ છે. [1] અસંખ્ય સ્થાપત્ય શૈલીઓ અને પરંપરાઓમાં વિરોધાભાસી હિન્દુ મંદિર સ્થાપત્ય અને ભારતીય-ઇસ્લામિક સ્થાપત્ય સૌથી જાણીતું છે. આ બંનેમાં હિંદુ મંદિર સ્થાપત્ય સંખ્યાબંધ પ્રાદેશિક શૈલીઓ પણ ધરાવે છે.
હિન્દુ મંદિર સ્થાપત્ય મુખ્યત્વે દ્રવિડિયન અને નાગર શૈલીમાં વહેંચાયેલું છે. ચોલા, ચેરા અને પાંડ્ય સામ્રાજ્યો તેમજ વિજયનગર સામ્રાજ્યના શાસન દરમિયાન દ્રવિડ સ્થાપત્ય વિકસ્યું હતું.
ભારતનું પહેલું મોટુ ઇસ્લામિક સામ્રાજ્ય , દિલ્હી સલ્તનત હતું, જેણે ભારતીય અને ઇસ્લામિક લાક્ષણિકતાઓને જોડીને ભારતીય -ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ કર્યો. મુઘલ સામ્રાજ્યના શાસનમાં મોગલ સ્થાપત્ય વિકસ્યું હતું ત્યારનું ભારતીય -ઇસ્લામિક સ્થાપત્ય ઉત્કૃષ્ટ ગણવામાં આવે છે, તાજમહેલ તેમના યોગદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બ્રિટીશ વસાહતી સમયગાળા દરમિયાન, નિયોક્લાસિકલ, ગોથિક રિવાઇવલ અને બેરોક સહિત યુરોપિયન શૈલીઓ સમગ્ર ભારતમાં પ્રચલિત બની. ભારતીય-ઇસ્લામિક અને યુરોપિયન શૈલીઓના જોડાણને નવી શૈલી મળી, જેને ઇન્ડો-સેરેસિનિક શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી પછી, વસાહતી સંસ્કૃતિમાંથી પ્રગતિના માર્ગ તરીકે આધુનિક સ્થાપત્યમાં આધુનિકતાવાદી વિચારો ફેલાયા. લી-કોર્બુઝિયર (Le Corbusier) કે જેમણે ચંડીગઢ શહેરની ડીઝાઈન કરી હતી, તેમણે 20 મી સદીમાં સ્થપતિઓને આધુનિક સ્થાપત્ય તરફ પ્રભાવિત કર્યા હતા .1991 ના આર્થિક સુધારાએ ભારતના શહેરી સ્થાપત્યને વધુ મજબૂત બનાવ્યું કારણ કે દેશ વિશ્વના અર્થતંત્ર સાથે વધુ સંકલિત બન્યો. પરંપરાગત વાસ્તુ શાસ્ત્ર સમકાલીન યુગ દરમિયાન ભારતના સ્થાપત્યમાં પ્રભાવશાળી રહ્યું છે. [1]