બ્રહ્મગુપ્ત
ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી, ૫૯૮-૬૬૮ / From Wikipedia, the free encyclopedia
બ્રહ્મગુપ્ત (ઉચ્ચાર listen) (જન્મ: આશરે ઇ.સ. ૫૯૮ - મૃત્યુ: આશરે ઇ.સ. ૬૬૮) ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેઓ ગણિત અને ખગોળશાસ્ત્રના સૈદ્ધાંતિક ગ્રંથ બ્રહ્મસ્કૂટસિદ્ધાંત (ઇ.સ. ૬૨૮) અને વ્યવહારુ ગ્રંથ ખંડઅખંડ્યકા (ઇ.સ. ૬૬૫) ના રચયિતા હતા.
Quick Facts બ્રહ્મગુપ્ત, જન્મની વિગત ...
બ્રહ્મગુપ્ત | |
---|---|
જન્મની વિગત | c. ઇ.સ. ૫૯૮ |
મૃત્યુ | c. ઇ.સ. ૬૬૮ |
પ્રખ્યાત કાર્ય |
|
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | ગણિત, ખગોળશાસ્ત્ર |
બંધ કરો
શૂન્ય સાથે ગણતરી કરવાના નિયમો આપવામાં બ્રહ્મગુપ્ત પ્રથમ હતા. તેમના દ્વારા રચેલા ગ્રંથો સંસ્કૃતમાં શ્લોક રૂપે છે, જે ભારતીય ગણિતની પ્રચલિત પ્રથા હતી. તેમના ગ્રંથોમાં કોઇ સાબિતી આપેલી નથી એટલે તેના પરિણામો કેવી રીતે મળ્યા તે હજુ જાણીતું નથી.[1]