બેનઝિર ભુટ્ટો
From Wikipedia, the free encyclopedia
બેનઝિર ભુટ્ટો (સિંધી ભાષા بينظير ڀٽو, ઉર્દૂ: بینظیر بھٹو, (beːnəziːɾ bʱʊʈːoː); (૨૧ જૂન, ૧૯૫૩ – ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭) પાકિસ્તાનનાં ૧૧માં વડાપ્રધાન હતા. તેઓ ૧૯૮૮-૯૦ અને ૧૯૯૩-૯૬ એમ બે મુદ્દત સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. તેઓ પાકિસ્તાનનાં શક્તિશાળી રાજકિય પરિવાર, ભુટ્ટો પરિવારનાં, સભ્ય હતા, તેમનાં પિતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પણ માજી વડાપ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સ્થાપક હતા. તેઓ પાકિસ્તાનના પ્રથમ અને આજ સુધીના એકમાત્ર મહિલા વડા પ્રધાન છે.[1]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
બેનઝીર ભુટ્ટો બેનઝિર ભુટ્ટો بينظير بھٹو | |
---|---|
પાકિસ્તાનના ૧૧માં વડાપ્રધાન | |
પદ પર ૧૯ ઓક્ટોબર, ૧૯૯૩ – ૫ નવેમ્બર, ૧૯૯૬ | |
રાષ્ટ્રપતિ | વસિમ સજ્જાદ ફારૂક લેઘારી |
પુરોગામી | મોઈનુદ્દિન અહેમદ કુરેશી (કાર્યકારી) |
અનુગામી | મલીક મેરાજ ખાલીદ (કાર્યકારી) |
પદ પર ૨ ડિસેમ્બર, ૧૯૮૮ – ૬ ઓગસ્ટ, ૧૯૯૦ | |
રાષ્ટ્રપતિ | ગુલામ ઈશાક ખાન |
પુરોગામી | મહમદખાન જુણેજા |
અનુગામી | ગુલામ મુસ્તફા જતોઈ (કાર્યકારી) |
વિપક્ષના નેતા | |
પદ પર ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૭ – ૧૨ ઓક્ટોબર, ૧૯૯૯ | |
પુરોગામી | નવાઝ શરીફ |
અનુગામી | ફઝલ-ઉલ-રહેમાન |
પદ પર ૬ નવેમ્બર, ૧૯૯૦ – ૧૮ એપ્રિલ, ૧૯૯૩ | |
પુરોગામી | ખાન અબ્દુલ વલિ ખાન |
અનુગામી | નવાઝ શરીફ |
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ | |
પદ પર ૧૨ નવેમ્બર, ૧૯૮૨ – ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭ ૧૦ જાન્યુઆરી, ૧૯૮૪ સુધી કાર્યરત | |
પુરોગામી | નુસરત બુટ્ટો |
અનુગામી | આસિફ અલી ઝરદારી બિલાવલ ઝરદારી ભુટ્ટો |
અંગત વિગતો | |
જન્મ | (1953-06-21)21 June 1953 કરાચી, સિંધ, પાકિસ્તાન |
મૃત્યુ | 27 December 2007(2007-12-27) (ઉંમર 54) રાવલપીંડી, પંજાબ (પાકિસ્તાન) |
જીવનસાથી | આસિફ અલી ઝરદારી(૧૯૮૭-૨૦૦૭) |
સંબંધો | ભુટ્ટો કુટુંબ |
સંતાનો | બિલાવલ, બખ્તાવર, આસિફા |
માતા-પિતા | ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, નુસરત ભુટ્ટો |
માતૃ શિક્ષણસંસ્થા | હાવર્ડ યુનિવર્સિટી ઓક્સફર્ડ કરાંચી સ્કૂલ |
સહી | |
વેબસાઈટ | અધિકૃત વેબસાઈટ |
ધર્મ | ઇસ્લામ |
તેમનું કુટુંબ સિંધીઓની ભુટ્ટો જાતિ સાથે સંબંધ ધરાવતું હતું. ભુટ્ટો એ સિંધી વંશના પાકિસ્તાની અને ધર્મથી શિયા મુસ્લિમ એવા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફિકર અલિભુટ્ટો અને ઇરાનિયન-કુરદિશ વંશના પાકિસ્તાની અને ધર્મથી શિયા મુસ્લિમ એવા બેગમ નુસરત ભુટ્ટોના સૌથી મોટા સંતાન હતા. તેમના દાદાજી સર શાહ નવાઝ ભુટ્ટો ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા તેમના મૂળ વતન ભટ્ટો કલાનમાંથી સ્વતંત્રતા પહેલા સિંધના લરકાના જિલ્લામાંથી આવ્યા હતા. [2][3]
ભુટ્ટો વર્ષ 1988માં 35 વર્ષની વયે પ્રથમ વખત વડા પ્રધાન બન્યા હતા, પરંતુ તે સમયના રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાનના આદેશથી ભ્રષ્ટાચારના આરોપસર 20 મહિના બાદ તેમને પદેથી દૂર કરવામાં આવ્યા હતા. વર્ષ 1993માં તેઓ ફરી ચૂંટાયા હતા, પરંતુ ફરીથી વર્ષ 1996માં સમાન આરોપસર તેમને રાષ્ટ્રપતિ ફારૂક લેગહરિ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1998માં સ્વયં સ્વદેશત્યાગ કરીને દૂબઇ જતા રહ્યા હતા.
રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથે સમજૂતિ બાદ 18 ઓક્ટોબર, 2007ના રોજ ભુટ્ટો પાકિસ્તાન પરત ફર્યા હતા. તેમના દ્વારા ભુટ્ટોને ક્ષમા આપવામાં આવી હતી અને બધાજ ભ્રષ્ટાચારના આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ 2008ની પાકિસ્તાની સામાન્ય ચૂંટણીઓના બે સપ્તાહ પહેલા, 27 ડિસેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં પીપીપી (PPP)સરઘસમાંથી છૂટા પડ્યા બાદ તેમનું ખૂન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીઓમાં તેઓ અગ્રણી વિરોધી ઉમેદવાર હતા.
ત્યાર બાદના તેઓ વર્ષમાં માનવીય હકોના ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સના પારિતોષિકના સાત વિજેતાઓમાં સ્થાન પામ્યા હતા. [4]