બર્ટ્રાન્ડ રસેલ
બ્રિટિશ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક / From Wikipedia, the free encyclopedia
બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ[1] (૧૮ મે ૧૮૭૨ – ૨ ફેબ્રુઆરી ૧૯૭૦) સુપ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક હતા. તેમની ગણના વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખકોમાં થાય છે. તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને ૧૯૫૦ના વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, શિક્ષણ, ધર્મ, નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજકારણ જેવા અનેક વિષયો પર ૪૦થી વધુ પુસ્તકો લખ્યા છે.[2]
Quick Facts બર્ટ્રાન્ડ રસેલ, જન્મની વિગત ...
બર્ટ્રાન્ડ રસેલ | |
---|---|
જન્મની વિગત | બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ (1872-05-18)18 May 1872 ટ્રેલેક, મૉનમથશાયર, યુનાઇટેડ કિંગડમ |
મૃત્યુ | 2 February 1970(1970-02-02) (ઉંમર 97) Penrhyndeudraeth, Caernarfonshire, વૅલ્સ, યુનાઇટેડ કિંગડમ |
રાષ્ટ્રીયતા | બ્રિટિશ |
શિક્ષણ | ટ્રિનિટિ કૉલેજ, કેંબ્રીજ (બી. એ., ૧૮૯૩) |
પુરસ્કારો |
|
Era | ૨૦મી સદીનું તત્ત્વજ્ઞાન |
Region | પશ્ચિમી તત્ત્વજ્ઞાન |
Institutions | ટ્રિનિટિ કૉલેજ, કેંબ્રીજ, લંડન સ્કૂલ ઑફ ઇકૉનોમિક્સ |
Main interests |
|
હસ્તાક્ષર | |
બંધ કરો
તેઓ મુક્ત વ્યાપાર, મહિલા-મતાધિકાર જેવા એ સમયના બ્રિટનના રાજકારણ વિષયક મુદ્દાઓથી માંડીને વિશ્વશાંતી, સમાજવાદ, અણુ-નિ:શસ્ત્રીકરણ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ જૉન કૅનેડીની હત્યા, વિયેટનામ યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય રાજકારણના મુદ્દાઓની છણાવટ કરનાર ચિંતનશીલ અને સક્રીય લેખક હતા.[2]