પ્રતાપ વિલાસ મહેલ
From Wikipedia, the free encyclopedia
પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના લાલબાગ વિસ્તાર નજીક આવેલ ગાયકવાડી મહેલ છે.[1]
આ મહેલ ઇ.સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. તેનો વિસ્તાર આશરે ૫૫ એકર છે જેમાં બગીચાનો પણ સમાવેશ થાય છે. આ મહેલ હવે ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.