પોરબંદર રજવાડું
પોરબંદર રજવાડું / From Wikipedia, the free encyclopedia
પોરબંદર રજવાડું જેઠવા રાજવંશ દ્વારા શાસિત બ્રિટીશરાજ સમયનું એક રજવાડું હતું. તે દરિયાકાંઠો ધરાવતા અમુક રજવાડાઓમાંનું એક હતું.
Quick Facts પોરબંદર રજવાડું (૧૧૯૩–૧૩૦૭; ૧૭૮૫–૧૮૦૮)રાણપુર રજવાડું(૧૩૦૭–૧૫૭૪)છાંયાનું રજવાડું (૧૫૭૪–૧૭૮૫)પોરબંદર રજવાડું (૧૮૦૮–૧૯૪૮)પોરબંદર રજવાડું, સ્થિતિ ...
પોરબંદર રજવાડું (૧૧૯૩–૧૩૦૭; ૧૭૮૫–૧૮૦૮) રાણપુર રજવાડું(૧૩૦૭–૧૫૭૪) છાંયાનું રજવાડું (૧૫૭૪–૧૭૮૫) પોરબંદર રજવાડું (૧૮૦૮–૧૯૪૮) પોરબંદર રજવાડું | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
૧૧૯૩–૧૯૪૮ | |||||||||
બોમ્બે પ્રેસીડેન્સીના નક્શા ઉપર પોરબંદર | |||||||||
સ્થિતિ | સાર્વભૌમિક સામંતશાહી (૧૧૯૩-૧૮૦૮) બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની (૧૮૦૮-૧૮૫૮) અને બ્રિટિશ રાજ (૧૮૫૮-૧૯૪૮) હેઠળનું રજવાડું | ||||||||
રાજધાની | પોરબંદર (૧૧૯૩-૧૩૦૭, ૧૭૮૫-૧૯૪૮) રાણપુર (૧૩૦૭-૧૫૭૪) છાયા(૧૫૪૭-૧૭૮૫) | ||||||||
સામાન્ય ભાષાઓ | ગુજરાતી ભાષા પ્રાચીન ગુજરાતી હિન્દુસ્તાની સંસ્કૃત અંગ્રેજી | ||||||||
સરકાર | સાર્વભોમ સામંતશાહી (૧૧૯૩-૧૮૦૮) બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની હેઠળ રજવાડું (૧૮૦૮-૧૮૫૮) અને બ્રિટિશ રાજ (૧૮૫૮-૧૯૪૮) | ||||||||
મહારાજા, રાણા | |||||||||
• ૧૦ ડિસેમ્બર ૧૯૦૮-૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ | નટવરસિંહજી ભાવસિંહજી (અંતિમ) | ||||||||
ઇતિહાસ | |||||||||
• Established | ૧૧૯૩ | ||||||||
• સ્વતંત્ર ભારતમાં વિલિનીકરણ | ૧૯૪૮ | ||||||||
વિસ્તાર | |||||||||
1931 | 1,648 km2 (636 sq mi) | ||||||||
વસ્તી | |||||||||
• 1931 | ૧૧૫,૬૭૩ | ||||||||
| |||||||||
આજે ભાગ છે: | પોરબંદર જિલ્લો અને જુનાગઢ જિલ્લો, ગુજરાત, ભારત |
બંધ કરો
રાજ્યની રાજધાની પોરબંદર એક બંદર શહેર હતું. ભાણવડ, છાંયા, રાણપર અને શ્રીનગર આ રાજ્યના અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ નગરો હતા. અગાઉ શ્રીનગર જેઠવાઓની રાજધાની હતું, ત્યારબાદ ઘુમલી રાજધાની બન્યું, પરંતુ જાડેજાઓએ તે જીતી લીધી હતી, તેમ છતાં, જેઠવા વંશ દ્વારા બંધાવવામાં આવેલ વાસ્તુકળાનો વારસો હજી પણ ઘુમલી ખાતે છે.[1] બ્રિટિશરાજ દરમિયાન, આ રજવાડું [2] 1,663 square kilometres (642 sq mi) જેટલો વિસ્તાર ધરાવતું હતું જેમાં ૧૦૬ ગામડાં હતા. ૧૯૨૧માં, અહીં ૧ લાખથી વધુ લોકો રહેતા અને રજવાડાની આવક રૂ. ૨૧ લાખ હતી.