પાણીયા અભયારણ્ય
ગુજરાત રાજ્યમાં આવેલ એક અભયારણ્ય / From Wikipedia, the free encyclopedia
પાણીયા અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું સિંહ, દીપડા, ઝરખ, ચિંકારા, નીલગાય તથા વિવિધ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. આ અભયારણ્યની જાહેરાત જૂન ૧૯૮૯માં કરાઈ. અભયારણ્યનો વિસ્તાર ૩૯.૬૪ ચો.કિ.મી. છે. બહુધા તેને ચાંચાઈ-પાણીયા અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેશી બાવળ, ખેર, ગોરડ, બોરડી, ખાખરો, વાંસ, કરમદી જેવા વૃક્ષો જોવા મળે છે.[1] આ અભયારણ્ય અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું છે. માર્ગ રસ્તે જૂનાગઢ, અમરેલી, ધારી અને વિસાવદરથી પહોંચી શકાય છે.
Quick Facts પાણીયા અભયારણ્ય, સ્થળ ...
પાણીયા અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
ગુજરાતના અભયારણ્યો | |
સ્થળ | અમરેલી જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | અમરેલી |
અક્ષાંશ-રેખાંશ | 21°23′N 70°59′E |
વિસ્તાર | ૩૯.૬૪ ચો.કી.મી. |
સ્થાપના | જૂન ૧૯૮૯ |
નિયામક સંસ્થા | ગુજરાત રાજ્ય વનવિભાગ |
બંધ કરો