પંચકેદાર
From Wikipedia, the free encyclopedia
પંચકેદાર (સંસ્કૃત: पञ्चकेदार, અંગ્રેજી: Panch Kedar) શબ્દ હિંદુ ધર્મનાં ભગવાન શિવને સમર્પિત પાંચ પવિત્ર સ્થળોનો ઉલ્લેખ કરે છે. આ મંદિરો હિમાલય પર્વતમાળામાં, ઉત્તરાખંડ, ભારત ખાતેના ગઢવાલ ક્ષેત્રમાં આવેલ છે. આ મંદિરોની સ્થાપના સાથે ઘણી દંતકથાઓ હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવો સાથે જોડાયેલ છે.[1]
પંચકેદાર | |
---|---|
ધર્મ | |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | કેદારનાથ: 30°43′48″N 79°4′12″E, તુંગનાથ: 30°29′22″N 79°12′55″E, રુદ્રનાથ:30°32′0″N 79°20′0″E, મધ્યમહેશ્વર: 30°38′13″N 79°12′58″E અને કલ્પેશ્વર: 30°34′37.35″N 79°25′22.49″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | ઉત્તર ભારતીય સ્થાપ્ત્ય શૈલી |
નિર્માણકાર | પાંડવો |
પૂર્ણ તારીખ | અપ્રાપ્ય |
અલગ અલગ સ્થળે આવેલાં આ પાંચ મંદિરો ખાતે પૂજા-દર્શન કરવા માટેની યાત્રા દરમિયાન ચોક્કસ ક્રમ અનુસરવામાં આવે છે. જેમાં પહેલાં કેદારનાથ (સંસ્કૃત: केदारनाथ) જેટલી ઉંચાઈ પર), ત્યારપછી તુંગનાથ (तुंगनाथ) (3,680 m or 12,070 ft જેટલી ઉંચાઈ પર), ત્યારબાદ રુદ્રનાથ (रुद्रनाथ) (2,286 m or 7,500 ft જેટલી ઉંચાઈ પર), ત્યારબાદ મધ્યમહેશ્વર (मध्यमहेश्वर) અથવા મદમહેશ્વર (3,490 m or 11,450 ft જેટલી ઉંચાઈ પર) અને છેલ્લે કલ્પેશ્વર (कल्पेश्वर) (2,200 m or 7,200 ft જેટલી ઉંચાઈ પર) ખાતે યાત્રા કરવાની હોય છે. આ મંદિરો પૈકી કેદારનાથ મુખ્ય મંદિર ગણાય છે, જે છોટા ચાર ધામ (એટલે કે નાના ચાર યાત્રાસ્થળો) અથવા યાત્રાધામ કેન્દ્ર પૈકીનું એક છે તથા હિમાલય પર્વતમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં આવેલ છે; છોટા ચાર ધામમાં બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી એ અન્ય ત્રણ સ્થળોની ગણના કરવામાં આવે છે. કેદારનાથ એ દ્વાદશ (બાર) જ્યોતિર્લિંગ પૈકીનું એક ધામ પણ છે.[2][3]
ગઢવાલ પ્રદેશને ભગવાન શિવના સ્થાનિક નામ કેદાર પરથી કેદાર-ખંડ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં વૈષ્ણવ સંપ્રદાય કરતાં ભગવાન શિવનું પૂજન કરતા શૈવ સંપ્રદાયને લગતાં પ્રતિકો અને પ્રાચીન અંશો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગઢવાલ ક્ષેત્રના પશ્ચિમી ભાગમાં આવેલ આ વિસ્તાર, કે જે ચમોલી જિલ્લાનો અડધા જેટલો ભાગ છે, તે ખાસ કરીને કેદાર ક્ષેત્ર અથવા કેદાર મંડળ તરીકે ઓળખાય છે. આ ક્ષેત્રના ઘેરાવામાં પંચકેદારનાં તમામ પાંચ મંદિરોનો સમાવેશ થાય છે.[4]
પંચકેદાર યાત્રાના પ્રથમ ક્રમના મંદિર કેદારનાથ ખાતે વર્ષ ૨૦૦૭ દરમિયાન મંદિર ખાતેની નોંધ મુજબ ૫૫૭૯૨૩ જેટલા શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી, જેની સામે વર્ષ ૧૯૮૭માં ૮૭૬૨૯ શ્રદ્ધાળુઓ અહીં મુલાકાતે આવ્યા હતા. આ નોંધના આંકડાઓ ૨૦ વર્ષ જેટલા સમયગાળામાં યાત્રાળુઓની સંખ્યામાં આવેલ પ્રભાવશાળી વધારા તરફ નિર્દેશ કરે છે..[5]