નૌશાદ અલી
From Wikipedia, the free encyclopedia
નૌશાદ અલી (૨૫ ડિસેમ્બર ૧૯૧૯ – ૫ મે ૨૦૦૬) એક સંગીતકાર, સંગીત દિગ્દર્શકાને ફિલ્મ નિર્માતા હતા. તેઓ વ્યાપકપણે હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાન અને અગ્રણી સંગીત દિગ્દર્શકોમાંના એક માનવામાં આવે છે. તેઓ ખાસ કરીને ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીતના ઉપયોગને લોકપ્રિય બનાવવા માટે જાણીતા છે.
Quick Facts નૌશાદ અલી પદ્મભૂષણ, પાર્શ્વ માહિતી ...
નૌશાદ અલી | |
---|---|
નૌશાદ અલી (૨૦૦૫માં) | |
પાર્શ્વ માહિતી | |
જન્મ | (1919-12-25)25 December 1919 લખનૌ, સંયુક્ત પ્રાત, બ્રિટીશ ભારત (વર્તમાન ઉત્તર પ્રદેશ, ભારત) |
મૃત્યુ | 5 May 2006(2006-05-05) (ઉંમર 86) મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
શૈલી | હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત • ભારતીય ફિલ્મ સંગીત |
વ્યવસાયો | સંગીતકાર, સંગીત દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક, કવિ, નિર્માતા |
વાદ્યો | હારમોનિયમ • સિતાર • પીઆનો • તબલા • વાંસળી • ક્લેરીનેટ • એકોર્ડીઅન • મેન્ડોલિયન |
સક્રિય વર્ષો | ૧૯૪૦ – ૨૦૦૫ |
સંબંધિત કાર્યો | લતા મંગેશકર, પી. સુશીલા, આશા ભોસલે, મોહમ્મદ રફી, મુકેશ, શમશાદ બેગમ, કે. જે. યેશુદાસ, એસ. પી. બાલાસુબ્રમણ્યમ, શકીલ બદાયુની, મજરુહ સુલતાનપુરી, ડી. એન. માધોક |
બંધ કરો
સ્વતંત્ર સંગીત દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ૧૯૪૦માં રજૂ થયેલી પ્રેમ નગર હતી. તેમની પ્રથમ સફળ ફિલ્મ રતન (૧૯૪૪) હતી. નૌશાદને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે અનુક્રમે ૧૯૮૧ અને ૧૯૯૨ માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા.