દાદાસાહેબ તોરણે
From Wikipedia, the free encyclopedia
દાદાસાહેબ તોરણે (પુરું નામ: રામચંદ્ર ગોપાળ તોરણે) (મરાઠી: रामचंद्र गोपाळ तोरणे; અંગ્રેજી: Dadasaheb Torne) (૧૩ એપ્રિલ, ૧૮૯૦ - ૧૯ જાન્યુઆરી, ૧૯૬૦) ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સર્જક, દિગ્દર્શક તેમ જ નિર્માતા હતા. એમણે ભારતીય ભાષામાં સૌપ્રથમ શ્રી પુંડલિક નામનું ચલચિત્રનું નિર્માણ કર્યું હતું.[1][2][3][4]
એમનો જન્મ કોંકણમાં આવેલા માલવણ નામના ગામમાં થયો હતો. ૧૦ વર્ષની વયે એમના પિતાજીનું અવસાન થયા પછી તેઓ માતા સાથે મુંબઈ આવી ઈલેકટ્રીક કંપનીમાં જોડાયા. અહીં તેઓ શ્રીપદ થિયેટરના પરિચયમાં આવ્યા. એમના મિત્ર અને ધંધાકીય ભાગીદાર શ્રી ચિત્રેના સહયોગથી એમણે વિદેશથી કાચી ફિલ્મ અને મુવી કેમેરા મંગાવી શ્રી પુંડલિક નામના નાટકનું રેકોર્ડિંગ કર્યું, જે ઈ. સ. ૧૯૧૨ના વર્ષમાં થિયેટરમાં રિલિઝ થયું હતું.