જમ્મુ અને કાશ્મીર (રજવાડું)
From Wikipedia, the free encyclopedia
જમ્મુ અને કાશ્મીર એ જામવાલ રાજપૂત વંશ દ્વારા શાસિત દેશી રાજ્ય હતું.[1] આ રજવાડાંની સ્થાપના ૧૮૪૬માં મહારાજા ગુલાબસિંહે સિખ સામ્રાજ્યના ઉત્તરી ભાગમાં કરી હતી.[2] ૧૯૪૭માં પાકિસ્તાની આક્રમણ[3] બાદ મહારાજા હરિસિંહે જમ્મુ અને કાશ્મીર રજવાડાંનો ભારતમાં વિલય કર્યો હતો.[4] બ્રિટિશ રાજમાં જમ્મુ અને કાશ્મીર, વિસ્તારની દ્રષ્ટિએ ભારતીય ઉપખંડનું સૌથી મોટું દેશી રાજ્ય હતું.[5]