ચૌધરી રહમત અલી
પાકિસ્તાની રાષ્ટ્રવાદી / From Wikipedia, the free encyclopedia
ચૌધરી રહમત અલી (૧૬ નવેમ્બર ૧૮૯૭ – ૩ ફેબ્રુઆરી ૧૯૫૧) એક પાકિસ્તાની રાષ્ટ્રવાદી હતા જે પાકિસ્તાનની રચનાના પ્રારંભિક સમર્થકોમાંના એક હતા. દક્ષિણ એશિયામાં અલગ મુસ્લિમ વતન માટે "પાકિસ્તાન" નામ આપવાનો શ્રેય તેમને આપવામાં આવે છે અને સામાન્ય રીતે તેઓ પાકિસ્તાન ચળવળના પ્રણેતા તરીકે ઓળખાય છે.[1][2][3][4]
Choudhry Rahmat Ali | |
---|---|
چودھری رحمت علی | |
ચૌધરી રહમત અલી | |
જન્મની વિગત | (1897-11-16)16 November 1897 ગઢશંકર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 3 February 1951(1951-02-03) (ઉંમર 53) કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ |
નોંધપાત્ર કાર્ય | "પાકિસ્તાન ઘોષણાપત્ર" |
રહમત અલીનું મુખ્ય યોગદાન ૧૯૩૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદાના વિદ્યાર્થી હતા ત્યારે તેમણે જાહેર કરેલી એક પત્રિકા "નાઉ ઓર નેવર; આર વી ટુ લિવ ઓર પેરીશ ફોરએવર ?" છે જેને "પાકિસ્તાન ઘોષણાપત્ર" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પત્રિકા લંડનમાં ત્રીજી ગોળમેજી પરિષદમાં હાજર રહેલા બ્રિટિશ અને ભારતીય પ્રતિનિધિઓને સંબોધવામાં આવી હતી. આ વિચારોને લગભગ એક દાયકા સુધી પ્રતિનિધિઓ અથવા કોઈ રાજકારણીઓની તરફેણ મળી ન હતી. તેમના આ વિચારોને વિદ્યાર્થીઓના વિચારો તરીકે બરતરફ કરવામાં આવ્યા હતા. પરંતુ ૧૯૪૦ સુધીમાં ઉપખંડમાં મુસ્લિમ રાજકારણ દ્વારા તેમના વિચારોને અનુમોદન આપવામાં આવ્યું હતું, જેના કારણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગનો લાહોર ઠરાવ થયો હતો, જેને તરત જ પ્રેસમાં "પાકિસ્તાન ઠરાવ" તરીકે ઓળખવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની રચના બાદ રહમત અલી એપ્રિલ ૧૯૪૮માં ઈંગ્લેન્ડથી પાછા ફર્યા હતા અને દેશમાં રહેવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને વડા પ્રધાન લિયાકત અલી ખાને તેમને દેશ બહાર હાંકી કાઢ્યા હતા. ઓક્ટોબર ૧૯૪૮માં રહમત અલી ખાલી હાથે ઇંગ્લેન્ડ પાછા ફર્યા હતા અને ૩ ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ કેમ્બ્રિજમાં નિરાધાર અને એકલવાયી હાલતમાં તેમનું અવસાન થયું હતું.[5] તેમના અંતિમ સંસ્કારનો ખર્ચ ઇમેન્યુઅલ કોલેજ, કેમ્બ્રિજ દ્વારા તેના માસ્ટરની સૂચનાથી કરવામાં આવ્યો હતો. ૨૦ ફેબ્રુઆરી ૧૯૫૧ ના રોજ કેમ્બ્રિજ સિટી કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા.