ગોળમેજી પરિષદ
અંગ્રેજ સરકાર દ્વારા સંવૈધાનિક સુધારાઓ પર ચર્ચા કરવા માટે ૧૯૩૦–૩૨ દરમિયાન આયોજીત સંમેલનોની એક / From Wikipedia, the free encyclopedia
ગોળમેજી પરિષદ એ અંગ્રેજ સરકાર દ્વારા સંવૈધાનિક સુધારાઓ પર ચર્ચા કરવા માટે ૧૯૩૦–૩૨ દરમિયાન આયોજીત સંમેલનોની એક શૃંખલા હતી. મે ૧૯૩૦માં સાઇમન કમિશન દ્વારા પ્રસ્તુત અહેવાલ તથા તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવીન અને બ્રિટીશ પ્રધાનમંત્રી રામસે મેકનોડાલ્ડને મહમદ અલી ઝીણાએ કરેલી ભલામણોને આધારે[1][2] નવેમ્બર ૧૯૩૦થી ડિસેમ્બર ૧૯૩૨ના ગાળામાં બ્રિટીશ સરકાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે ત્રણ ગોળમેજી પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહમદ અલી ઝીણા, મહાત્મા ગાંધી, તેજ બહાદુર સપ્રૂ, વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રી, સર મહમદ ઝફરઉલ્લા ખાન અને મીરાંબહેન પ્રમુખ ભારતીય પ્રતિનિધિ હતા. ૧૯૩૦ના દશક સુધી કેટલાક બ્રિટીશ રાજનેતાઓનું માનવું હતું કે ભારતની સ્વાયત્તતાની સ્થિતિ વધારવાની જરૂર છે પરંતુ ભારતમાં પૂર્ણ સ્વરાજની માંગ બળવતર બની રહી હતી. ભારતીય અને બ્રિટીશ રાજનૈતિક દળો વચ્ચે વૈચારિક મતભેદોનું આ પરિષદો દરમિયાન સમાધાન થઈ શક્યું નહી.