ગોપાલ કૃષ્ણ ગોખલે
From Wikipedia, the free encyclopedia
ગોપાલ કૃષ્ણ ગોખલે (૯ મે, ૧૮૬૬ – ૧૯ ફેબ્રુઆરી, ૧૯૧૫)[1][2][3][4] ભારતીય સ્વતંત્રતા ચળવળના ઉદારવાદી રાજનેતા અને સમાજ સુધારક હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી’ના સ્થાપક હતા. સોસાયટી ઉપરાંત કોંગ્રેસ તેમજ અન્ય ધારાસભા એકમોની મદદથી તેમણે સ્વશાસન અને સમાજ સુધારણા અભિયાન ચલાવ્યા. તેઓ કોંગ્રેસ પક્ષના ઉદારવાદી જૂથના નેતા હતા જેમણે પ્રવર્તમાન સરકારી સંસ્થાઓ સાથે કામગીરી કરીને સુધારાઓની હિમાયત કરી.
Quick Facts ગોપાલ કૃષ્ણ ગોખલે, જન્મની વિગત ...
ગોપાલ કૃષ્ણ ગોખલે | |
---|---|
ગોખલે (૧૯૦૯) | |
જન્મની વિગત | (1866-05-09)9 May 1866 કોટલુક, રત્નાગિરી જિલ્લો, મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત |
મૃત્યુની વિગત | 19 February 1915(1915-02-19) (ઉંમર 48) મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત |
શિક્ષણ સંસ્થા | એલફીસ્ટન મહાવિદ્યાલય |
વ્યવસાય | પ્રાધ્યાપક, રાજકારણી, અર્થશાસ્ત્રી, તત્વજ્ઞાની, લેખક, ક્રાંતિકારી |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | સાવિત્રીબાઇ (૧૮૮૦-૧૮૮૭) રીશીબામા (૧૮૮૭-૧૮૯૯) |
સંતાન | ૨ (કાશીબાઇ, ગોધુબાઇ) |
માતા-પિતા | પિતા: કૃષ્ણા રાવ ગોખલે માતા: વાલુબાઇ |
બંધ કરો