ગંગોત્રી
From Wikipedia, the free encyclopedia
ગંગોત્રી એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાંચલ રાજ્યના ઉત્તર કાશી જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉત્તર ભારતનાં પ્રખ્યાત ચારધામ પૈકીનું એક ધામ છે. ગંગોત્રી ખાતે પવિત્ર ગંગા નદીનું ઉદ્ગમસ્થાન આવેલું છે. ગંગોત્રી હિમાલયની ગોદમાં આવેલું અત્યંત રમણીય સ્થળ છે.
અહીં જવા માટે ગંગા કિનારા પરના પવિત્ર યાત્રાસ્થળ હરદ્વારથી વાહન વ્યવહાર ચાલે છે.