એમ. વિશ્વેશ્વરૈયા
ભારતીય ઇજનેર, વિદ્વાન, રાજનેતા અને મૈસૂર રાજ્યના ૧૯મા દિવાન / From Wikipedia, the free encyclopedia
સર મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરૈયા (૧૫ સપ્ટેમ્બર ૧૮૬૦ – ૧૪ એપ્રિલ ૧૯૬૨) એ ભારતીય ઇજનેર, રાજનેતા અને મૈસૂરના ૧૯મા દિવાન (૧૯૧૨ – ૧૯૧૯) હતા. લોકકલ્યાણના કાર્યોમાં તેમના યોગદાન બદલ જ્યોર્જ પંચમ દ્વારા તેમને બ્રિટીશ ભારતીય સામ્રાજ્યના નાઈટ કમાન્ડરની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે એશિયાની શ્રેષ્ઠ અને ત્રીજી સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ ઇજનેરી મહાવિદ્યાલય, પુણેમાંથી ઇજનેરની પદવી મેળવી હતી. તેમને ૧૯૫૫માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત થયું હતું. તેમનો જન્મદિવસ, ૧૫ સપ્ટેમ્બર, તેમની સ્મૃતિમાં ભારત, શ્રીલંકા અને ટાન્ઝાનિયામાં ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ મૈસૂર શહેરના ઉત્તર-પશ્ચિમ ઉપનગરમાં કૃષ્ણા રાજસાગર બંધના મુખ્ય ઇજનેર હતા અને હૈદરાબાદ શહેર માટે પૂર સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ઇજનેરોમાંના એક તરીકે પણ સેવા આપી હતી.
Quick Facts સર એમ. વિશ્વેશ્વરૈયા, મૈસૂર રાજ્યના ૧૯મા દિવાન ...
સર એમ. વિશ્વેશ્વરૈયા | |
---|---|
મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯ | |
સર એમ. વિશ્વેસરૈયા | |
મૈસૂર રાજ્યના ૧૯મા દિવાન | |
પદ પર ૧૯૧૨ – ૧૯૧૮ | |
રાજા | કૃષ્ણરાજ વાડિયાર ચતુર્થ |
પુરોગામી | ટી. આનંદ રાવ |
અનુગામી | એમ. કાંતારાજ |
અંગત વિગતો | |
જન્મ | (1860-09-15)15 September 1860 મુદેનેહલાદી, ચિક્કબલ્લાપુરા, મૈસુર રાજ્ય (વર્તમાન કર્ણાટક, ભારત) |
મૃત્યુ | 12 April 1962(1962-04-12) (ઉંમર 101) બેંગ્લોર, કર્ણાટક, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતૃ શિક્ષણસંસ્થા |
|
ક્ષેત્ર | ઇજનેર અને રાજનેતા |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૫૫) |
બંધ કરો