ઉત્તરાખંડ
From Wikipedia, the free encyclopedia
ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરીકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે.
Quick Facts ઉત્તરાખંડ उत्तराखण्ड राज्य उत्तराखण्डराज्यम्, દેશ ...
ઉત્તરાખંડ
उत्तराखण्ड राज्य उत्तराखण्डराज्यम् | |
---|---|
રાજ્ય | |
સમઘડી દિશામાં ઉપરથી: ઔલીમાંથી દેખાતું ગઢવાલ હિમાલયનું દ્રશ્ય, બદ્રીનાથ મંદિર, કેદારનાથ, નૈનિતાલ ખાતે રાજભવન, અલકનંદા અને મંદાકિની નદીઓનો રુદ્રપ્રયાગ ખાતે સંગમ, જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે હાથીઓ, અને હરદ્વાર | |
અન્ય નામો: | |
ભારતમાં ઉત્તરાખંડનું સ્થાન | |
ઉત્તરાખંડના જિલ્લાઓ | |
અક્ષાંશ-રેખાંશ (દેહરાદૂન): 30.33°N 78.06°E / 30.33; 78.06 (Dehradun) | |
દેશ | ભારત |
રાજ્યનો દરજ્જો | ૯ નવેમ્બર ૨૦૦૦ [a] |
પાટનગર | દેહરાદૂન [b] |
સૌથી મોટું શહેર | દેહરાદૂન |
જિલ્લાઓ | ૧૩ |
સરકાર | |
• માળખું | ઉત્તરાખંડ સરકાર |
• ગવર્નર | કૃષ્ણ કાંત પોલ |
• મુખ્ય મંત્રી | પુષ્કરસિંહ ધામી, (ભાજપ)[1] |
• મુખ્ય ન્યાયાધીશ | સંજયકુમાર મિશ્રા (કાર્યકારી) |
• વિધાનસભા સ્પીકર | પ્રેમચંદ અગ્રવાલ (ભાજપ) |
વિસ્તાર | |
• કુલ | ૫૩,૪૮૩ km2 (૨૦૬૫૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૧૯મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧,૦૦,૮૬,૨૯૨ |
• ક્રમ | ૨૧મો |
• ગીચતા | ૧૮૯/km2 (૪૯૦/sq mi) |
• ગીચતા ક્રમાંક | ૨૧મો |
• પુરુષ | ૫૧,૩૭,૭૭૩ |
• સ્ત્રી | ૪૯,૪૮,૫૧૯ |
ઓળખ | ઉત્તરાખંડી |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
• અન્ય અધિકૃત | સંસ્કૃત[2] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-UT |
વાહન નોંધણી | UK 01—XX |
માનવ વિકાસ અંક (૨૦૧૧) | ૦.૫૧૫[3] (medium) |
• ક્રમ | ૭મો |
સાક્ષરતા (૨૦૧૧) | ૭૯.૬૩% |
• પુરુષ | ૮૮.૩૩% |
• સ્ત્રી | ૭૦.૭૦% |
• ક્રમ | ૧૭મો |
લિંગ પ્રમાણ (૨૦૧૧) | ૯૬૩ ♀ / ૧૦૦૦ ♂ |
• ક્રમ | ૧૩મો |
વેબસાઇટ | uk |
^a ઉત્તરાખંડની રચના ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ થઇ હતી. ^b દહેરાદૂન ઉત્તરાખંડની કામચલાઉ રાજધાની છે. ગિરસૈન નગરને રાજ્યની નવી રાજધાની બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ^c ૭૦ બેઠકો ચૂંટણીથી જ્યારે ૧ બેઠક એંગ્લો-ઇન્ડિયનો માટે અનામત છે. |
બંધ કરો
આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવ પ્રયાગ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.