ઇમેન્યુએલ કેન્ટ
જર્મન તત્વજ્ઞાની / From Wikipedia, the free encyclopedia
ઇમેન્યુએલ કેન્ટ અથવા ઇમેન્યુએલ કાન્ટ (અંગ્રેજી: Immanuel Kant) (જ. ૨૨ એપ્રિલ ૧૭૨૪, કોનિંગ્સબર્ગ, પ્રશિયા; અ. ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૪, કોનિંગ્સબર્ગ) જર્મન તત્વચિંતક હતા. એમનું નામ આધુનિક તત્ત્વજ્ઞાનીઓમાં સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે. ૧૭૮૧માં એ સત્તાવન વર્ષના હતા ત્યારે એમનો ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન ગ્રંથ પ્રગટ થયો હતો. ત્યારબાદ એમના અન્ય બે અગત્યના ગ્રંથો ધ ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન (૧૭૯૭) અને ધ ક્રિટિક ઓફ જજમેન્ટ (૧૭૯૦) પ્રગટ થયા હતા. કેન્ટે કેવળ બુદ્ધિવાદી મનોવિજ્ઞાનની શક્યતાનો ઇન્કાર કરી અનુભવનિષ્ઠ મનોવિજ્ઞાન પર ભાર મૂક્યો હતો.
Quick Facts ઇમેન્યુએલ કેન્ટ, જન્મ ...
બંધ કરો