આર. શ્રીનિવાસન
ભારતીય કાર્યકર્તા / From Wikipedia, the free encyclopedia
આર. શ્રીનિવાસન (૭ જુલાઈ, ૧૮૬૦ – ૧૮ સપ્ટેમ્બર, ૧૯૪૫) તરીકે જાણીતા દિવાન બહાદુર રેટ્ટામલાઈ શ્રીનિવાસન અનુસૂચિત જાતિના કાર્યકર અને બ્રિટિશ ભારતના તે સમયના મદ્રાસ પ્રેસિડેન્સી (વર્તમાન તમિલનાડુ)ના રાજકારણી હતા. તેઓ તમિલનાડુની દલિત જાતિ પરૈયારના આદર્શ અને મહાત્મા ગાંધીના સહયોગી તેમજ બી.આર.આંબેડકરના નિકટના સાથી હતા.[1] આજે તેમને ભારતમાં અનુસૂચિત જાતિ આંદોલનના પ્રણેતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે ૧૮૯૩ માં આદિ દ્રવિડ મહાજન સભાની સ્થાપના કરી હતી.[2]