અરદેશીર તારાપોર
From Wikipedia, the free encyclopedia
લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બુરઝોરજી તારાપોર (જન્મ ઓગસ્ટ ૧૮, ૧૯૨૩ ના રોજ મુંબઈ[3]) એ જનરલ રતનજીબા ના પરિવારમાંથી આવે છે. જનરલ રતનજીબાએ શિવાજીના સૈન્યનું સુકાન સંભાળ્યું હતું અને તેમને ૧૦૦ ગામ ઈનામરૂપે મળ્યાં હતાં જેમાં તારાપોર મુખ્ય ગામ હતું. તારાપોર નામ તે ગામ પરથી આવે છે. પાછળથી તેમના દાદાજી હૈદરાબાદ ખાતે સ્થાયી થયા અને હૈદરાબાદના નિઝામ હેઠળ તેઓ આબકારી વિભાગમાં કામ કરતા હતા. તેમના મૃત્યુ બાદ બુરઝોરજી પણ તે જ કામ કરતા હતા.
લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર તારાપોર PVC | |
---|---|
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે અરદેશીર તારાપોરની અર્ધપ્રતિમા | |
જન્મ | (1923-08-18)18 August 1923 મુંબઈ, બોમ્બે પ્રાંત, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 16 September 1965(1965-09-16) (ઉંમર 42) † છવિંડા, પાકિસ્તાન |
દેશ/જોડાણ | હૈદરાબાદ પ્રાંત India |
સેવા/શાખા | હૈદરાબાદ આર્મી ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૪૦–૧૯૫૧ (હૈદરાબાદ આર્મી) ૧૯૫૧–૧૯૬૫ (ભારતીય ભૂમિસેના) |
હોદ્દો | લેફ્ટનન્ટ કર્નલ |
સેવા ક્રમાંક | IC-5565[1][2] |
દળ | હૈદરાબાદ લાન્સર્સ પૂના હોર્સ |
યુદ્ધો |
|
પુરસ્કારો | પરમવીર ચક્ર |
અરદેશીરે ખૂબ જ નાની ઉમરમાં તેમની બહેન યાદગારને તેમના જ પરિવારની એક ભાગી રહેલી ગાયથી બચાવી હતી. તેઓ સાત વર્ષના થયા ત્યારે તેમને સરદાર દસ્તુર શાળા, પૂણે ખાતે શિક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા. તેમણે ૧૯૪૦માં મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા. શાળા બાદ તેમણે સૈન્યમાં જોડાવા અરજી કરી અને તેઓ પસંદગી પામ્યા. તેમણે શરૂઆતની તાલીમ ગોલકોન્ડા ખાતેની અફસર તાલીમ કેન્દ્રમાં મેળવી. તે પૂર્ણ થયા બાદ તેમણે બેંગલોર ખાતે ૭મી હૈદરાબાદ પાયદળમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાયા.