અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ / From Wikipedia, the free encyclopedia
આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડીની દક્ષિણે હિંદ મહાસાગરમાં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.
Quick Facts આંદામાન અને નિકોબાર દ્રીપસમુહ अण्डमान और निकोबार द्वीपसमूह, દેશ ...
આંદામાન અને નિકોબાર દ્રીપસમુહ
अण्डमान और निकोबार द्वीपसमूह | |
---|---|
આંદામાન અને નિકોબારનું ભારતમાં સ્થાન (પીળો રંગ) | |
અક્ષાંશ-રેખાંશ (પોર્ટ બ્લેર): 11.68°N 92.77°E / 11.68; 92.77 | |
દેશ | ભારત |
વિસ્તાર | દક્ષિણ ભારત |
સ્થાપના | ૧ નવેમ્બર ૧૯૫૬ |
પાટનગર અને સૌથી મોટું શહેર | પોર્ટ બ્લેર |
જિલ્લાઓ | ૩ |
વિસ્તાર | |
• કુલ | ૭,૯૫૦ km2 (૩૦૭૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૨૮મો |
વસ્તી (૨૦૧૨)[2] | |
• કુલ | ૩,૮૦,૫૦૦ |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (સમયક્ષેત્ર) |
ISO 3166 ક્રમ | IN-AN |
માનવાંક | ૦.૭૭૮ (ઉચ્ચ) |
ભાષાઓ | મુખ્ય
અધિકૃત: મુખ્ય બોલાતી ભાષાઓ |
વેબસાઇટ | www |
બંધ કરો
ઈ.સ. ૨૦૦૧માં આંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષિણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.
આંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાંના ૨૬ ટાપુ પર માનવ વસવાટ છે. હુગલી નદીના મુખથી ૯૫૦ કિ.મી.ના અંતરે આ દ્વીપસમૂહ આવેલા છે. મ્યાનમારના કેપ નેગ્રેસથી ૧૯૩ કિ.મી. દૂર છે. આંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભૂમિ (મેઇન લેન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે. સુમાત્રાથી ૫૪૭ કિ.મી. દૂર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઈ ૫૧ કિ.મી. છે. આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ ચોરસ કિ.મી. છે.